સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમનાં સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફિ પંથમાં જોવા મળે છે. કાશીના આ સંત કવિનો જન્મ લહરતારા પાસે વિ.સં. ૧૨૯૭ માં જેઠ માસની પૂનમનાં દિવસે થયેલ. વણકર પરિવારમાં પાલન પોષણ થયું, સંત રામાનંદના શિષ્ય બન્યા અને અલખ જગાડવા લાગ્યા. કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા. હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.
કબીરની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે.
એપ માં સમાવિષ્ટ શ્રેણીઓ ::
૧ અબ મૈં રામ કે ગુણ ગાઉં
૨ અવધૂ મેરા મન મતવારા
૩ અવસર બાર બાર નહીં આવૈ
૪ આવે ન જાવે મરે નહિ જનમે
૫ એ દિલ ગાફિલ, ગફલત મત કર
૬ ઐસી દિવાની દુનિયા
૭ કર સાહબ સે પ્રીત વગેરે