ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસી વ્યક્તિ તરીકેની આપણી યાત્રામાં પાણીથી બાપ્તિસ્મા લેવું એ ખૂબ જ અગત્યનો અનુભવ છે. આપણ દરેક જેઓએ ઇસુ પર વિશ્વાસ કરવાનો અને તેને અનુસરવાનો નિર્ણય કર્યો છે તેઓ કોઈક સમયે આ અગત્યનું પગલું ચોક્કસ લઈશું. જેઓ ઇસુને અનુસરવાનું પસંદ કરે છે તેઓને ઇસુએ આદેશ આપ્યો છે કે પાણીથી બાપ્તિસ્મા લેવું. તેથી આ આદેશનું પાલન થવું જોઈએ. અહી દેવના વચનો આધારિત આ અભ્યાસ પુસ્તિકા પાણીથી બાપ્તિસ્મા અંગેનો અર્થ અને તેનું મહત્વ સમજવા તમને મદદ કરશે કે જેઓ પાણીથી બાપ્તિસ્મા પામવા માટે તૈયારી કરી રહ્યાં છે.
પાણીથી બાપ્તિસ્મા સબંધી ૬ અગત્યના સત્યો આપણે જોવાના છીએ:
૧. પસ્તાવાની નિશાની,
૨. ન્યાયપણાની પરિપૂર્ણતા,
૩. તેના શિષ્ય હોવાની સાક્ષી,
૪. ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસની સાક્ષી,
૫. ઇસુ સાથેની ઓળખની ઘોષણા,
૬. સારા અંત:કરણનો પ્રતીસાદ.
પાણીથી બાપ્તિસ્મા અંગે લોકો દ્વારા પૂછાતાં કેટલાક સામાન્ય સવાલોના ઉત્તર પણ અત્રે આપવામાં આવ્યાં છે.
પ્રભુ તમને આશિષ આપો!
આશિષ રાયચૂર