પોતાના અંગ્રેજી પુસ્તક ‘Spiritual Practice’માં સ્વામી અશોકાનંદજીએ સાધનામાં ઊભી થતી મુશ્કેલીઓ વર્ણવી, તેમના પર વિજય મેળવવાના નક્કર વ્યાવહારિક ઉપાય બતાવ્યા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાની પ્રારંભિક શરતોથી માંડી વ્યક્તિ સાધનામાં કેવી રીતે દૃઢ અને સ્થિર ગતિથી આગળ વધી શકે—તેનું સ્પષ્ટ અને અનુભવપૂત ચિત્ર તેમણે તેમાં આપ્યું છે. સાધનામાં પ્રવેશતી વ્યક્તિઓ માટે આ પુસ્તક એક સાચો પથપ્રદર્શક પૂરવાર થયું છે.
સ્વામી અશોકાનંદ