નરેન્દ્ર કોહલી ઉપન્યાસકાર, વાર્તાકાર, નાટકકાર, વ્યંગ્યકાર તથા નિબંધકાર છે. તેઓ પોતાના સમકાલીન સાહિત્યકારોથી પર્યાપ્ત ભિન્ન છે. સાહિત્યની સમૃદ્ધિ તથા સમાજની પ્રગતિમાં એમનું યોગદાન પ્રત્યક્ષ છે. એમણે પ્રખ્યાત કથાઓ લખી છે; પરંતુ તેઓ સર્વથા મૌલિક છે. તેઓ આધુનિક છે; પરંતુ પશ્ચિમનું અનુકરણ નથી કરતા. ભારતીયતાના મૂળીયા સુધી પહોંચે છે, પરંતુ પુરાતનપંથી નથી.
એમનો જન્મ, ૧૯૪૦ ઈ.માં થયો હતો. છેલ્લી અડધી સદીમાં એમની લગભગ એકસો પુસ્તકો પ્રકાશિત થઈ ચુકી છે. રામકથા પર આધારીત ''અભ્યુદય'', પાંડવકથા ''મહાસમર'' તથા સ્વામી વિવેકાનંદ વિષય ઉપન્યાસ ''તોડો કારા તોડો'' એમની ત્રણ પ્રસિદ્ધ ઉપન્યાસ શ્રૃંખલાઓ છે, જે ગુજરાતી વાચકોની પ્રથમ પસંદ છે.