લેખક બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી દ્વારા અનુવાદિત તેમાંના થોડા અંશો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં વિભિન્ન સમયે છપાયેલ હતા. તે લેખોનું સંકલન અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.