Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે

· Sri Ramakrishna Ashrama, Rajkot
5,0
3 ressenyes
Llibre electrònic
624
Pàgines

Sobre aquest llibre

हरि अनन्त हरिकथा अनन्ता। એ ન્યાયે શ્રીરામકૃષ્ણના દિવ્યજીવનની સમૃદ્ધ આધ્‍યાત્મિક ભાવનાને સાંગોપાંગ સમજવી અને એથીય વિશેષ તો એને શબ્દબદ્ધ કરવી તે અતિ ભગીરથકાર્ય છે. શ્રીરામકૃષ્ણ વિષે રોમાં રોલાંએ લખ્યું છે: ‘ત્રીસ કરોડ માનવીઓના આધ્‍યાત્મિક જીવનના બે હજાર વર્ષના (તેઓ) નિચોડરૂપ હતા.’

શ્રીરામકૃષ્ણના અલૌકિક તથા દિવ્યજીવનમાં કેટલાંક એવાં તત્ત્વો અને પાસાં છે, જે માનવીય સમજથી પર છે. તે સૌનું ચરિત્રચિત્રણ ભાષાબદ્ધ કરવાનો પ્રયાસ વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસના મિનિસ્ટર ઇનચાર્જ સ્વામી ચેતનાનંદે પોતાના પુસ્તક ‘How to Live with God’માં કર્યો છે.

Puntuacions i ressenyes

5,0
3 ressenyes

Sobre l'autor

સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે તેમજ સેન્ટ લુઈસ અને કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેઓ 1950થી સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ સત્તાવાર રીતે 1960માં સંન્યાસી તરીકે સંઘમાં જોડાયા હતા. તેમને રામકૃષ્ણ સંઘના સાતમા પરમાધ્‍યક્ષ અને શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ શિષ્ય સ્વામી બ્રહ્માનંદના અંગત સચિવ સ્વામી શંકરાનંદ દ્વારા દીક્ષા આપવામાં આવી હતી.

     1971માં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતાં પહેલાં, સ્વામીએ માયાવતી, હિમાલય ખાતે અદ્વૈત આશ્રમના પ્રકાશન અને સંપાદકીય વિભાગો અને કલકત્તામાં તેની શાખામાં કાર્યરત હતા. તેમણે 1971-78 સુધી વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, લોસ એન્જલસના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. 1977-78માં, તેમણે સધર્ન કેલિફોર્નિયાની આંતર-ધાર્મિક પરિષદના ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને હાલમાં તેઓ સેન્ટ લુઈસની ઇન્ટરફેથ પાર્ટનરશિપના કેબિનેટ મેમ્બર છે. માર્ચ 1978માં તેમની બદલી સેન્ટ લુઈસ, મિઝોરીમાં કરવામાં આવી અને સ્વામી સત્પ્રકાશાનંદ હેઠળ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. નવેમ્બર 1979માં સ્વામી સત્પ્રકાશાનંદના દેહાવસાન પછી જાન્યુઆરી 1980માં તેઓ સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ બન્યા. તેઓ કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના પણ મિનિસ્ટર ઇન્ચાર્જ છે.

     સ્વામી ચેતનાનંદે તમામ છ ખંડોનો પ્રવાસ કર્યો છે અને ભારતીય ફિલસૂફી, ખાસ કરીને વેદાંત અને રામકૃષ્ણ-વિવેકાનંદ વિશે પ્રવચનો આપ્યાં છે. તેમણે છેલ્લાં 48 વર્ષો દરમિયાન પશ્ચિમમાં નિષ્ઠાવાન સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક બાબતો વિશે પ્રશિક્ષણ આપ્યું છે અને અત્યાર સુધીમાં વેદાંત ગ્રંથો અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વિષયક લગભગ 1400 પ્રવચનો આપ્યા છે અને બે હજાર વર્ગોનું આયોજન કર્યું છે.

     તેઓએ અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃત ભાષામાં 40થી વધુ પુસ્તકોની રચના, સંપાદન, અથવા અનુવાદ કર્યા છે. તેઓનાં પુસ્તકો અને લખાણોનો જર્મન, ડચ, સ્પેનિશ, ફ્રેન્ચ, જાપાનીઝ, ક્રોએશિયા, લિથોનિયા અને મોટાભાગની ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.

Puntua aquest llibre electrònic

Dona'ns la teva opinió.

Informació de lectura

Telèfons intel·ligents i tauletes
Instal·la l'aplicació Google Play Llibres per a Android i per a iPad i iPhone. Aquesta aplicació se sincronitza automàticament amb el compte i et permet llegir llibres en línia o sense connexió a qualsevol lloc.
Ordinadors portàtils i ordinadors de taula
Pots escoltar els audiollibres que has comprat a Google Play amb el navegador web de l'ordinador.
Lectors de llibres electrònics i altres dispositius
Per llegir en dispositius de tinta electrònica, com ara lectors de llibres electrònics Kobo, hauràs de baixar un fitxer i transferir-lo al dispositiu. Segueix les instruccions detallades del Centre d'ajuda per transferir els fitxers a lectors de llibres electrònics compatibles.