5200 વર્ષોના લાંબા અંતરાલ પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાની શાશ્વત વ્યાખ્યા
માનવ ધર્મશાસ્ત્ર
શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો એ વખતે એમના મનમાં કયા ભાવ હતા? મનના બધા જ ભાવ કહી શકાતા નથી, કેટલાક કહી શકાય છે, કેટલાક ભાવ-ભંગિથી વ્યક્ત થાય છે અને બાકીના પૂર્ણપણે ક્રિયાત્મક છે એને કોઈ પથિક ચાલીને જ જાણી શકે. શ્રીકૃષ્ણ જે સ્તર પર હતા, તે સ્તર સુધી ક્રમશઃ ચાલીને એ જ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષ જ જાણે છે કે ગીતા શું કહે છે. એ ગીતાનું પુનરાવર્તન જ નથી કરતા, પણ એમના ભાવ પણ દર્શાવે છે; કારણ કે જે દ્રશ્ય શ્રીકૃષ્ણની સામે હતું એ જ એ વર્તમાન મહાપુરુષની સમક્ષ પણ હોય છે. તેથી એ જુએ છે. એ દેખાડશે, તમારામાં જાગૃતિ પણ લાવી દેશે, એ પથ પર ચલાવશે પણ ખરાં.
પૂજ્ય પરમહંસજી મહારાજ પણ એ જ સ્તરના મહાપુરુષ હતા. એમની વાણી તથા અન્તઃ પ્રેરણાથી ગીતાનો જે અર્થ મળ્યો એનું જ સંકલન ‘યથાર્થ ગીતા’ છે.
- સ્વામી અડગડાનંદ