જગતની કોઈપણ મહાન વિભૂતિના જીવન-કવનને જાણવા-સમજવા માટેનું સર્વોપરી પ્રમાણભૂત અને સર્વશ્રેષ્ઠ માધ્યમ છે તેમણે સ્વયં લેખલાં લખાણો અને સ્વમુખેથી નિઃસૃત વાણી. આવાં લખાણો નોંધો, રોજનીશી, પત્ર, ડાયરી અને નિબંધ તથા વાણી સંવાદ, ચર્ચા, વાર્તાલાપ, વક્તવ્ય, ઉપદેશ વગેરેના સ્વરૂપમાં ઉપલબ્ધ થયેલ હોય છે. આવો સમુચ્ચય એટલે તેમની આત્મકથા. મોટાભાગના મહાપુરુષોએ પોતાની આત્મકથા વિવિધ અને વિશિષ્ટ શિર્ષકો હેઠળ લખી છે.