સ્વામી બ્રહ્માનંદ મહારાજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. તેમના ઉચ્ચ આધ્યાત્મિક ઉપદેશો, વાર્તાલાપો તથા પત્રોનું સંકલન પુસ્તક આકારે પ્રસિદ્ધ થયું હતું. શ્રીરામકૃષ્ણદેવના આ માનસપુત્રનું મન સતત પરમાત્મભાવમાં વિચરણ કરતું. એમનાં દૈનંદિન કાર્યો પણ નિરંતર આંતરિક દિવ્ય ભાવની અભિવ્યક્તિરૂપે પ્રગટ થતાં. એમના શ્રીમુખેથી ધર્મ, ધાર્મિક જીવન, ધ્યાન અને ગહન સાધનાનાં તત્ત્વોથી સભર વચનામૃત જ્યારે સંન્યાસી અને ભક્ત-શિષ્યો સાંભળતા, ત્યારે તેઓ પણ ભગવદ્ભાવમાં લીન થઈ જતા, એક ઉચ્ચ દિવ્ય ભૂમિકાએ પહોંચી જતા.
સંકલન