પોતાની રુગ્ણાવસ્થામાં નિજાનંદ અર્થે અને સ્વાંતઃસુખાય તેમણે ગીતાના અઢાર અધ્યાયોનું સુલલિત ભાષામાં અનુભૂતિપૂરક વિવેચન કર્યું હતું, જેનું ટેપરેકોર્ડિંગ કરાયું હતું. આ ટેપરેકોર્ડિંગમાંથી અનુલેખન કરીને તેમના સુપુત્ર શ્રી નલિનભાઈએ તેને પુસ્તકાકારે સંપાદિત કર્યું છે. આ શ્રમસાધ્ય કાર્ય બદલ તેમના પ્રતિ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી