આ પુસ્તિકામાં ભગવાન બુદ્ધનું સંક્ષિપ્ત જીવન અને સારનાથમાં આપેલ પ્રથમ સંદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધની કરુણાના સંદેશથી સ્વામી વિવેકાનંદ ઘણા પ્રભાવિત થયા હતા. આ મહાન પયગંબરની વાણીમાંથી પસંદ કરેલાં કેટલાંક અમૃતબિંદુઓ આ પુસ્તિકામાં સંગ્રહવામાં આવ્યાં છે. ગુજરાતી અનુવાદ માટે શ્રી દુષ્યંતભાઈ પંડયાના અને આ પુસ્તિકાના ગુજરાતી અનુવાદની અનુમતિ આપવા માટે રામકૃષ્ણ મઠ,માયલાપુરના અમે ઋણી છીએ.
અમને આશા છે કે આ પુસ્તિકાને ગુજરાતી વાચકો દ્વારા સમુચિત લોકાદર સાંપડશે.
સ્વામી શુદ્ધસત્ત્વાનંદ