‘કર્મ અને તેનું રહસ્ય’ એ પુસ્તિકાનું નૂતન સંસ્કરણ જિજ્ઞાસુ વાચકો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવી છીએ. પ્રસ્તુત પુસ્તિકામાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧માંથી કેલિફોર્નિયાના લૉસ એન્જલસ શહેરમાં તા.૪ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ આપેલ વ્યાખ્યાન તેમજ ‘કર્મનું રહસ્ય’ એ બે પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.