આ વ્યાખ્યાનમાં પૂજ્ય સ્વામી વિવેકાનંદે ઘણી સૂઝપૂર્વક પૂર્વ તેમજ પશ્ચિમના વિચારો અને આદર્શો તેમજ રહેણી અને રીત રિવાજો અંગે દીર્ઘ વિચારણા રજૂ કરી છે. સામાન્ય જનને માટે જેની દૃષ્ટિ સમ્યગ્ અવલોકન કરી શકતી નથી તેવાને માટે, આવું કામ બેશક ગજા બહારનું ગણાય. આવો માણસ જીવનની શરૂઆતથી જ જે પરિસ્થિતિમાં ઊછર્યો હોય તેનાં સહેજે વખાણ કરે છે - આવી સર્વસામાન્ય નબળાઈ ઘણી વાર તો દેશપ્રેમના સુંદર નામ તળે ઢંકાઈ જતી હોય છે, - અગર તો બીજે છેડે જઈને જે-જે કાંઈ દેશનું હોય તેની નિંદા અને પરદેશનું હોય તેનાં આંખો મીંચીને વખાણ કરવા લાગી જાય છે. આશા છે કે આ પુસ્તક એવાઓને વિચારસામગ્રી પૂરી પાડશે.
સ્વામી વિવેકાનંદ