સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનાં વિશાળ સાહિત્ય, ભાષણો, લેખો, પત્રો, સંવાદો, વગેરેમાંથી ચૂંટી કાઢીને વિવિધ વિષયો ઉપર એમના મર્મસ્પર્શી, પ્રેરક ઉદ્ગારો ગુજરાતી વાચકો સમક્ષ એક પુસ્તક રૂપે પ્રસ્તુત કર્યાં છે. આર્ષદૃષ્ટિ સંપન્ન મનીષી અને યુગાચાર્ય સ્વામી વિવેકાનંદની આ અભયવાણીમાં પ્રત્યેક અગ્નિમંત્ર વાચકના જીવનમાં મહાન ક્રાન્તિ લાવવા માટે સમર્થ છે. ઘણાં વરસો પહેલાં આ મહામંત્ર ઉચ્ચારવામાં આવ્યા હોવા છતાંય અમને શ્રદ્ધા છે કે વિવેકાનંદનાં વચનોની શબ્દશક્તિ આધુનિક મનુષ્યના જીવનમાં અંતર્નિહિત દિવ્યતા પ્રગટાવશે.
સ્વામી વિવેકાનંદ