Gitajinu Chintan

· Gurjar Prakashan
4,6
71 recenzija
E-knjiga
668
Broj stranica
Prihvatljiva

O ovoj e-knjizi

હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એકે ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, શીખો પાસે ગુરુગ્રંથસાહેબ છે, તેવો સર્વલોકભોગ્ય એક પણ ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે, પણ એક તો તે લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા! બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે, જે પોતપોતાના અલગઅલગ ધર્મગ્રંથો માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા (શંકરાચાર્ય વગેરે) તેમણે ‘પ્રસ્થાનત્રયી’ ઉપર ભાષ્યો લખ્યાં છે પણ કોઈએ વેદો ઉપર ભાષ્ય નથી લખ્યું. ‘પ્રસ્થાનત્રયી’માં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયાં છે. ઉપનિષદોને વેદ માની લેવાયાં છે, વાસ્તવમાં તો સંહિતાભાગ જ વેદ છે. તેનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે તેને લોકભોગ્ય બનાવવા સૌને અધિકાર આપ્યો પણ તેમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા ઉપર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે, જેમાં રામાયણ-મહાભારત અને પુરાણો વગેરે ખરાં, પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાના કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. તેની પાસે બધું ઘણુંઘણું છે, ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે, ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌકોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણાબધામાંથી કાંઈક સ્વીકારી લે છે, કાંઈક અસ્વીકારી પણ દે છે. આવી બધી અનિશ્ચિતતામાં છેલ્લાં 60-70 વર્ષોથી લોકમાન્ય એક ગ્રંથ પ્રાપ્ત થયો છે તે છે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા.’ ગીતા તેનું ટૂંકું નામ છે. તેનાં પ્રચાર અને માન્યતા એટલાં બધાં થઈ ગયાં છે કે કૉર્ટકચેરીમાં સોગંદ ખાવા માટે લોકો ગીતા ઉપાડે છે અથવા ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાય છે. હવે તે હિન્દુ ધર્મનો બહુમાન્ય ધર્મગ્રંથ થઈ ગયો છે, તેથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે.

Ocjene i recenzije

4,6
71 recenzija

O autoru

 સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Ocijenite ovu e-knjigu

Recite nam šta mislite.

Informacije o čitanju

Pametni telefoni i tableti
Instalirajte aplikaciju Google Play Knjige za Android i iPad/iPhone uređaje. Aplikacija se automatski sinhronizira s vašim računom i omogućava vam čitanje na mreži ili van nje gdje god da se nalazite.
Laptopi i računari
Audio knjige koje su kupljene na Google Playu možete slušati pomoću web preglednika na vašem računaru.
Elektronički čitači i ostali uređaji
Da čitate na e-ink uređajima kao što su Kobo e-čitači, morat ćete preuzeti fajl i prenijeti ga na uređaj. Pratite detaljne upute Centra za pomoć da prenesete fajlove na podržane e-čitače.