સ્વામી વિવેકાનંદે પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર દ્વારા દિગ્વિજય કરીને ૧૮૯૭માં ભારતમાં અુમના પુનરાગમન પછી દેશવાસીઓને પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપ્યાં. ‘ભારતમાં આપેલાં ભાષણો’ પુસ્તકમાંથી કેટલાક ચૂંટી કાંઢેલા અંશો અહીં ‘જાગો, હે ભારત!’ શીર્ષક સાથે પુસ્તક આકારમાં વાચકો સમક્ષ પુનર્મુદ્રિત કરતાં આનંદ થાય છે. સ્વામી વિવેકાનંદે પ્રતીતિકર આર્ષવાણીમાં ઘોષણા કરી છે કે ભવિષ્યમાં ‘ભારતનું અદૃષ્ટપૂર્વ ઉત્થાન અવશ્ય થશે, ત્યારે ભવ્યતાના સર્વોચ્ચ શિખરને ભારત સર કરશે. વિશ્વનું આધ્યાત્મિક નેતૃત્વ ભારત સંભાળશે.’
Religion og spiritualitet