જ્યારે જ્યારે આપણા આ જગતમાં વિકાસને તથા ઊભી થતી નવી પરિસ્થિતિને કારણે નવી સામાજિક ગોઠવણોની જરૂર ઊભી થાય છે, ત્યારે ત્યારે શક્તિનું એક મોજું આવે છે; અને માનવી આધ્યાત્મિક તેમજ ભૌતિક એમ બે ક્ષેત્રોમાં ક્રિયા કરતો હોવાથી એ બંને ક્ષેત્રોમાં સમન્વય તરંગોની અસર પડે છે. એક બાજુ, ભૌતિક ક્ષેત્રમાં આધુનિક સમયે મુખ્યત્વે કરીને યુરોપ જ સમન્વયના પાયારૂપ રહ્યું છે; અને બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રમાં સમગ્ર જગતના ઇતિહાસમાં એશિયા જ સમન્વયના પાયારૂપે રહ્યો છે.
સ્વામી વિવેકાનંદ