યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવે આત્મોન્નતિના સાધકોને યુગધર્મ સમજાવતાં કહ્યું છે : ‘શાસ્ત્રોમાં જે બધાં કર્મો કરવાનું વિધાન છે તે કલિકાળમાં કરવાં બહુ કઠિન. અત્યારે તો અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે ઝાઝાં કર્મ આ જમાનામાં ચાલી ન શકે. કલિયુગમાં ભક્તિ. ભગવાનનાં નામ-ગુણ-ગાન અને પ્રાર્થના. ભક્તિયોગ જ યુગધર્મ.